ચીખલી ઘોડવણીના સક્રિય આદિવાસી સામાજિક કાર્યકર ઠાકોરભાઈ પટેલ દ્વારા અભ્યાસ કરતા ગરીબ બાળકો માટે સહાયરૂપ બન્યા. ઠાકોરભાઈ જે પટેલ તરફથી અભ્યાસ કરતા ગરીબ બાળકો માટે રોકડ રકમ દ્વારા સંક્લ્પ એજયુકેશન ગૃપને સહાયરૂપ થયા છે તેઓ ગામ ધોડવણી તા.ચીખલી નવસારીનાં રહેવાસી છે. તેઓ ગાંધીનગર ખાતે સચિવ સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગરમાં ફરજ બજાવી નિવૃત્ત થયા છે. તેમણે ગાંધીનગરમાં પણ સમાજ માટે ઘણા કામ કર્યા છે. હાલ તેઓ જ્ઞાન કિરણ ધોડિયા સમાજ, સુરખાઈ રાનકુવા ખાતે પોતાની નિવૃત્તિનો સમય સમાજના ઉત્કર્ષ માટે ફાળવી સમાજ સેવા કરી રહ્યા છે. તેઓ દર વર્ષે ધોડિયા સમાજના લગ્ન વાંછુક યુવક યુવતીઓ માટે દર વર્ષે પસંદગી મેળાનું પણ આયોજન કરે છે.
ગૂઢ રહસ્યોથી ભરેલું ડાંગનાં આદીવાસીઓનું લોક જીવન ગુજરાત રાજ્યના છેવાડે આવેલો અને 98% આદિવાસી વસ્તી ધરાવતો ડાંગ જિલ્લો તેના વિલક્ષણ રીત-રિવાજો અને પરંપરાગત કુદરતી સંસ્કૃતિને કારણે ગહન રહસ્યથી ઘેરાયેલો છે. 'માનો યા નમાનો' જેવી ઘટનાઓ અહીં રોજ જોવા મળે છે. ડાંગના શિક્ષિત આદિવાસી શાળાના પટાંગણમાં ધુણતા બાળકો કે પહાડી દેવની પૂજામાં ખૂબ જ આ શિક્ષિત સમાજ આસ્થા ધરાવે છે. આહવા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ આદિવાસી પ્રકૃતિ દેવતા 'નળદા દેવ' સ્થાનિક ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશના આદિવાસી સમુદાયો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં આદિ, વ્યાધિ અને ઉપાધિ માટે માનવામાં આવતી બાધા પૂરી થાય છે તેવી લોક માન્યતા છે. અહીં વિઘ્નો પૂર્ણ કરવાનું લોક વચન પ્રચલિત છે. અહીં બાધાને પૂર્ણ કરવા માટે યજ્ઞની પ્રક્રિયા ખૂબ જ ક્રૂર માનવામાં આવે છે. બલિદાનની ખૂબ જ વિચિત્ર પદ્ધતિમાં, મરઘા, બકરા અને ઘેટાંને તીક્ષ્ણ હથિયારોથી કાપવાને બદલે લાકડાના ફટકા વડે માર મારી બલી ચઢાવવામાં આવે છે. આદિવાસીઓ, મહિલાઓ, બાળકોની સામે જ આ પ્રક્રિયા કુદરતી ગણાય છે. આદિવાસીઓના દેવાધિ દેવ નળદા દેવની આસ્થા ...
આદિવાસી સમાજનો નવા વર્ષની શરૂઆતનો પ્રથમ તહેવાર અખાત્રીજ. આદિવાસી સમાજનો નવા વર્ષની શરૂઆતનો પ્રથમ તહેવાર તરીકે અખાત્રીજને વર્ષોની પરંપરાથી મનાવવામાં આવે છે. આજે અખાત્રીજને દક્ષિણ ગુજરાતના આદિવાસી સમુદાયના લોકો દ્વારા સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે ખેત ઓજારોની પૂજા ઉપરાંત નવા ધાન્યના વાવેતરની સાથે ગામ અને સમાજના કલ્યાણ માટે કામના કરતી પૂજા અર્ચના કરવામાં આવી હતી. દરેકે પોતાના ખેતર જઈને કે ઘરમાં પૂજા કરી હતી. ધર્મ ભૂમી સંસ્કૃતિના પૂજક અને રક્ષક એવાં આદિવાસીઓ ખેતી કરતાં હોય વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજનું અનેરૂ મહત્વ છે. વર્ષનો પ્રથમ તહેવાર એટલે અખાત્રીજ દરેક ખેડૂત આ દિવસે પોતાના ખેતરમાં કામનું મુહૂર્ત કરી ખેતી કામની શુભ શરૂઆત કરે છે. દક્ષિણ ગુજરાતના આદિવાસીસમાજમાં આ દિવસે દરેક ઘરના એક એક વ્યકિત પ્રતિનિધિત્વ તરીકે ગામમાં ભેગા થાય છે ફાળો કરે છે અને ગામના ભગત પાસે ગામનાં હિમાર્યા દેવની (ક્ષેત્રપાળ) પૂજા અર્ચના કરવામાં આવે છે. સમયસર અને સારૂ ચોમાસું આવે એવી, ઢોર ઢાંખર સારા રહે, ગામમાં કોઈ રોગચાળોના આવે, દરેક વ્યકિતનું આરોગ્ય સારું રહે, ચોમાસું સારું રહે અને ધનધાન્ય થક...
Comments
Post a Comment