ગામીત ભૂમિકાબેન સંજયભાઈ આ બાળકીના મમ્મી - પપ્પા બંને નથી, ખૂબ ઓછી સુવિધા વચ્ચે એની બંને બહેનો મંજૂરી કામ કરીને ભણાવે છે, એકલવ્ય સ્કુલ ઉકાઇ ખાતે ધોરણ 11/12 માં અભ્યાસ કરી આજે ખૂબ જ સરસ પરિણામ મેળવીને ખૂબ સારા માર્કસ ૬૫૦ માંથી ૫૩૭ માર્કસ મેળવી પાસ થઇ છે, દિકરીને ખૂબ ખૂબ અભિનંદન..! સ્પર્શ નોલેજ એકેડેમી વ્યારા દ્રારા શરૂ કરેલા NEET ના વર્ગો પણ લાભ લીધો છે.! વંદન છે ટીમ સ્પર્શને આવા જરૂરિયાતમંદ વિધાર્થીઓને આવી અમુલ્ય તક આપવા બદલ.! દિકરી નું ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ થાય એવી શુભકામના.! આપની કામગીરી નું પરિણામ દેખાઇ રહ્યું છે..! સ્પર્શ નોલેજ એકેડેમી વ્યારા અને 💯 નો સાથ ગ્રુપ.
ગૂઢ રહસ્યોથી ભરેલું ડાંગનાં આદીવાસીઓનું લોક જીવન ગુજરાત રાજ્યના છેવાડે આવેલો અને 98% આદિવાસી વસ્તી ધરાવતો ડાંગ જિલ્લો તેના વિલક્ષણ રીત-રિવાજો અને પરંપરાગત કુદરતી સંસ્કૃતિને કારણે ગહન રહસ્યથી ઘેરાયેલો છે. 'માનો યા નમાનો' જેવી ઘટનાઓ અહીં રોજ જોવા મળે છે. ડાંગના શિક્ષિત આદિવાસી શાળાના પટાંગણમાં ધુણતા બાળકો કે પહાડી દેવની પૂજામાં ખૂબ જ આ શિક્ષિત સમાજ આસ્થા ધરાવે છે. આહવા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ આદિવાસી પ્રકૃતિ દેવતા 'નળદા દેવ' સ્થાનિક ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશના આદિવાસી સમુદાયો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં આદિ, વ્યાધિ અને ઉપાધિ માટે માનવામાં આવતી બાધા પૂરી થાય છે તેવી લોક માન્યતા છે. અહીં વિઘ્નો પૂર્ણ કરવાનું લોક વચન પ્રચલિત છે. અહીં બાધાને પૂર્ણ કરવા માટે યજ્ઞની પ્રક્રિયા ખૂબ જ ક્રૂર માનવામાં આવે છે. બલિદાનની ખૂબ જ વિચિત્ર પદ્ધતિમાં, મરઘા, બકરા અને ઘેટાંને તીક્ષ્ણ હથિયારોથી કાપવાને બદલે લાકડાના ફટકા વડે માર મારી બલી ચઢાવવામાં આવે છે. આદિવાસીઓ, મહિલાઓ, બાળકોની સામે જ આ પ્રક્રિયા કુદરતી ગણાય છે. આદિવાસીઓના દેવાધિ દેવ નળદા દેવની આસ્થા ...
Comments
Post a Comment